રોકાણ-લાઈફ ઈન્શ્યોરન્સ વચ્ચેના તફાવતને સમજો
મોટા ભાગે લોકો બચત અને વીમા અંગે ગૂંચવણ અનુભવતા હોય છે. કેટલીક વખત પૂરતી જાણકારી વગર અણઘડ રીતે વીમા ઉતરાવીને રોકાણકારો પાછળથી અકળામણ પણ અનુભવે છે અને નાણાં પણ ગુમાવે છે. અહીંયા તમે આ તમામ બાબતો સમજાવતું એક સરળ ઉદાહરણ જોશો. વીમો એ બીજું કાંઇ નહીં, પરંતુ ઇન્શ્યોરર અને ઇન્શ્યોર્ડ વચ્ચેનો એક સમજૂતી કરાર છે, જેમાં જો કોઇ અણધારેલી ઘટના ઘટે તો વળતર તરીકે એકરકમ ચૂકવવાનો હેતુ હોય છે.વીમા પોલિસીમાં નક્કી કરવામાં આવેલી રકમ એ મહત્તમ રકમ છે, જેના માટેવીમાધારક દાવો કરી શકે છે.
|
જો એક માત્ર કમાતી વ્યક્તિ અણધારી રીતે મૃત્યુ પામે તો તેના કુટુંબની સુરક્ષા માટે વીમાનો કોન્સેપ્ટ બજારમાં લાવવામાં આવ્યો છે, પરંતુ બજારમાં સ્પર્ધાત્મકતા અને વધુ સંખ્યામાં યુનિટો વેચવાના દબાણના કારણે કંપનીઓએ અન્ય ફિચર સાથે વીમા પોલિસીઓ આપવાની શરૂ કરી, જે અન્ય કોઇ રોકાણ પ્રોડક્ટ્સમાં સ્વાભાવિક રીતે સમાવિષ્ટ હોય છે. કમનસીબે, ભારતમાં ગ્રાહકોને વીમા અને નાણાંકીય આયોજન વિશે શિક્ષિત કરવા બહુ ઓછા પગલાં લેવાયા છે. આ આપણી અમૂલ્ય જીંદગી છે, ગ્રાહકોએ તેમના કુટુંબ-ભવિષ્યને ધ્યાનમાં રાખીને સાવચેતી પૂર્વક વીમો ઉતરાવવો જોઈએ.
વીમા અને રોકાણ વચ્ચેના તફાવત અંગે બહુ ગૂંચવણો છે. રોકાણ એ છે કે જે આપણે હયાતીમાં વાપરવામાટે બચાવીએ છીએ. વીમો એ છે કે જે આપણે આપણી ગેરહાજરીમાં આપણા કુટુંબના ઉપયોગ માટેબચાવીએ છીએ.જેથી કરીને આપણાં અણધાર્યા મુત્યુ પછી કુટુંબના બાકીના સભ્યોના રોજીંદા જીવન ધોરણમાં કોઈ મુશ્કેલી
ન પડે.
વીમા અને રોકાણ વચ્ચેના તફાવત અંગે બહુ ગૂંચવણો છે. રોકાણ એ છે કે જે આપણે હયાતીમાં વાપરવામાટે બચાવીએ છીએ. વીમો એ છે કે જે આપણે આપણી ગેરહાજરીમાં આપણા કુટુંબના ઉપયોગ માટેબચાવીએ છીએ.જેથી કરીને આપણાં અણધાર્યા મુત્યુ પછી કુટુંબના બાકીના સભ્યોના રોજીંદા જીવન ધોરણમાં કોઈ મુશ્કેલી
ન પડે.
રોકાણ અને વીમાના ધ્યેય બિલકુલ અલગ છે
આપણાંમાંના ઘણાં લોકો વીમાપોલિસીને રોકાણ તરીકે ગણે છે. આ જ કારણ છે જેથી સંખ્યાબંધ લોકો આપણને કહેતા રહે છેકે તેમની નવી વીમા પોલિસી કેટલી સારી છે. મને એક સરળ ગણતરી દ્વારા સમજાવવા દો. ધારોકે તમે 20 વર્ષે પાકતી પોલિસી માટે રૂ. 25,000નું પ્રિમિયમ ચૂકવો છો. વીમા એજન્ટેતમને કહ્યું હોય કે તમારા વીમાની પોલિસી રૂ. 5 લાખની છે અને તમે તેટલી જ રકમનુંબોનસ મેળવશો અને તેથી 20 વર્ષના અંતે તમે રૂ. 10 લાખ મેળવશો. આ મોટી રકમ છે અનેસ્વાભાવિક રીતે આપણા પૈકીના મોટાભાગના લોકો આ પોલિસી લેવા લલચાશે.
અહીં આપણે શું ભૂલીએ છીએ?
- શરૂઆતના વર્ષોમાં આપણે જે પ્રિમિયમ ભરીએ છીએ તેનો મોટો હિસ્સો એજન્ટને કમિશન તરીકે ચૂકવવામાં આવશે
- દર વર્ષે તમારા પ્રિમિયમનો એક ભાગ (ઓછામાં ઓછો 2 ટકા) એજન્ટને કમિશન તરીકે ચૂકવવામાં આવશે.
- વીમા કંપની આપણા પ્રિમિયમનો એક હિસ્સો (ઓછામાં ઓછો 5 ટકા) મોર્ટાલિટી ચાર્જ તરીકે કાપશે.
- કંપનીઓ માત્ર ડેટ સાધનોમાં રોકાણ કરી શકે છે અને તેથી આપણા રોકાણનું વળતર વાર્ષિક 8 કે 9 ટકાથી વધુ ના મળી શકે.
ધારો કે તમે દર વર્ષે રૂ. 25,000 બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકો છો, જેમાં વાર્ષિક 9 ટકા વ્યાજ મળે છે, તો પાકતી મુદતે કેટલી રકમ થશે એ તમે જાણો છો? તમે મને નહીં માનો, પરંતુ તે રકમ હશે રૂ.13,62,745, જે તમારી વીમા પોલિસી તમને આપે તેના કરતાં રૂ.3,62,745 વધુ છે.
ધારો કે તમે દર વર્ષે રૂ. 25,000 મતલબ કે દર મહિને ૨૦૦૦ SIP મા ૨૦ વર્ષે રોકો છો જેમાં વાર્ષિક અંદાજે ૧૨ ટકા વ્યાજ મળે છે, તો પાકતી મુદતે કેટલી રકમ થશે એ તમે જાણો છો? તમે મને નહીં માનો, પરંતુ તે રકમ હશે રૂ.1૮,૩૯,7૧5, જે તમારી વીમા પોલિસી તમને આપે તેના કરતાં રૂ.૮,૩૯,7૧5 વધુ છે.
- દર વર્ષે તમારા પ્રિમિયમનો એક ભાગ (ઓછામાં ઓછો 2 ટકા) એજન્ટને કમિશન તરીકે ચૂકવવામાં આવશે.
- વીમા કંપની આપણા પ્રિમિયમનો એક હિસ્સો (ઓછામાં ઓછો 5 ટકા) મોર્ટાલિટી ચાર્જ તરીકે કાપશે.
- કંપનીઓ માત્ર ડેટ સાધનોમાં રોકાણ કરી શકે છે અને તેથી આપણા રોકાણનું વળતર વાર્ષિક 8 કે 9 ટકાથી વધુ ના મળી શકે.
ધારો કે તમે દર વર્ષે રૂ. 25,000 બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકો છો, જેમાં વાર્ષિક 9 ટકા વ્યાજ મળે છે, તો પાકતી મુદતે કેટલી રકમ થશે એ તમે જાણો છો? તમે મને નહીં માનો, પરંતુ તે રકમ હશે રૂ.13,62,745, જે તમારી વીમા પોલિસી તમને આપે તેના કરતાં રૂ.3,62,745 વધુ છે.
ધારો કે તમે દર વર્ષે રૂ. 25,000 મતલબ કે દર મહિને ૨૦૦૦ SIP મા ૨૦ વર્ષે રોકો છો જેમાં વાર્ષિક અંદાજે ૧૨ ટકા વ્યાજ મળે છે, તો પાકતી મુદતે કેટલી રકમ થશે એ તમે જાણો છો? તમે મને નહીં માનો, પરંતુ તે રકમ હશે રૂ.1૮,૩૯,7૧5, જે તમારી વીમા પોલિસી તમને આપે તેના કરતાં રૂ.૮,૩૯,7૧5 વધુ છે.